ઉના : મચ્છુન્દ્રી નદીનાં કોઝવે પૂલ ઉપર ફૂલ પધરાવતી વખતે પગ લપશી જતા યુવનાનું મૃત્યું

0

ઉના શહેરમાં શાંતિનગર સોસાયટી વિસ્તારમાં રહેતા અને એસબીઆઈના નિવૃત કર્મચારી હેમલભાઈ દેસાઈ (ઉ.વ.૬૪) તેમના ઘરે આજે શ્રાદ્ધ હોય વિધિવત કાર્ય કરી ફૂલ પધારવા માટે બંને ભાઈઓ નજીકમાં આવેલ અંજાર રોડ ઉપર મચ્છુન્દ્રી નદીના કોઝવે પૂલ ઉપરથી ફૂલ પધારાવતા હતા એ વખતે અચાનક હેમલભાઈનો પગ લાપસી જતા ઉડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ત્યારે તેમના ભાઈ રડારાડકરવા લાગતા ત્યારે નજીકમાં એક યુવાન વહેતા પાણીમાં બચાવવા ગયેલ તે પહેલા જ હેમલભાઈ ઉડા પાણીમાં ડૂબી જતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
તાજેતરમાં ભારે વરસાદથી કોઝવે પાસે ઉંડા પાણી હોય નદીમાંથી યુવાને મૃતદેહ બહાર કાઢેલ હતો. આ અંગે જાણ તેમના પરિવારજનોને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઇમજન્સી ૧૦૮માં ઉના સરકારી હોસ્પિટલે પીએમ માટે ખસેડવામાં આવેલ હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!