ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનાં વધુ ૧૫ પોઝીટીવ કેસો આવ્યા

0

ગીર-સોમનાથ જીલ્લાના પાંચ તાલુકામાંથી ૧પ જેટલા કોરોનાના પોઝીટીવ કેસો આવેલ છે. જયારે સારવાર હેઠળના ૭ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરાયા છે. ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક ૧૪૮૪ ઉપર પહોંચેલ છે. ગીર સોમનાથ જીલ્લાના પાંચ તાલુકાઓમાંથી ૧પ પોઝીટીવ કેસો આવેલ છે જેમાં વેરાવળના ૪, કોડીનારના પાંચ, ઉનાના ર, ગીરગઢડાના ૩, તાલાલાના ૧ મળી કુલ ૧પ પોઝીટીવ દર્દીઓ આવેલ છે. જયારે સારવાર હેઠળના વેરાવળના ર, સુત્રાપાડાના ૧, કોડીનારના ૪ મળી કુલ ૭ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરી દેવાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!