જૂનાગઢના પાઠકનગરમાં મકાન ખાલી કરવા પ્રશ્ને હુમલો, ત્રણ સામે ફરીયાદ

0

જૂનાગઢનાં પાઠકનગરમાં રહેતા સોહીલશા ઈકબાલશા શાહમદાર (ઉ.વ.ર૬)એ વિશાલ નારણ આહીર, શારદાબેન વિશાલભાઈ આહીર, મધુબેન નારણભાઈ આહીર વગેરે સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરીયાદી અગાઉ તેમના મકાનમાં ભાડેથી રહેતા હોય અને બે દિવસ અગાઉ મકાન ખાલી કરી નાંખેલ હોય જે મકાન ભાડાના નીકળતા પૈસા ફરીયાદી તથા તેના મમ્મી તહોમતદારના ઘરે દેવા જતા આ આ વખતે તહોમતદાર નં.૧ના એકદમ ઉશ્કેરાઈ અમારૂ મકાન કેમ ખાલી કરેલ છે તેમ કહી ફરીયાદીને તથા તેની મમ્મીને ભુંડી ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી તહોમતદાર નં.બે અને ત્રણના આવી એક સંપ કરી ફરીયાદી તથા તેની માતાને આડેધડ માર મારી તહોમતદાર નં.એકના એ લોખંડનું ધારીયા જેવુ ફરીયાદીના માથા સામે ઉગામતા ફરીયાદી વચ્ચે પડતા માથામાં લગાડી દઈ એક બીજાએ મદદગારી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!