રોપવેની ટિકીટના દર ઘટાડવા માટે ધારાસભ્ય ભીખાભાઈ જાેષી દ્વારા મુખ્યમંત્રીને રજુઆત

0

જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાેષીએ મુખ્યમંત્રીશ્રીને એક પત્ર પાઠવી જૂનાગઢ ખાતે શરૂ થયેલ નવનિર્મીત રોપ-વેના ટિકીટના દરમાં ઘટાડો કરવાની માંગણી કરી છે. આ પત્રમાં જણાવેલ છે કે, હાલ પાવાગઢ રોપ-વેનો ટિકીટ દર અંદાજે રૂા.૧પ૦ આસપાસ છે. પાવાગઢ કરતા ગિરનાર રોપ-વે ૩ ગણો મોટો છે. પરંતુ ટિકીટના દર છ ગણા હોવાથી મધ્યમ વર્ગને બિલકુલ પોષાય એમ ન હોય રૂા.૩૦૦ આસપાસ ટિકીટના દર રાખવાની રજુઆત સાથે લાગણી વ્યકત કરી છે. પાવાગઢ રોપવે માટે રૂા. ૧૦૦ના દર લેવાય છે, અંબાજી ખાતે પણ રોપવેનાં ઓછા દર રાખવામાં આવ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!