વંથલી નજીક વોંકળામાંથી યુવાનનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો

0

વંથલી નજીક પાણી ભરેલા વોકળામાંથી ગઈકાલે એક યુવાનનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ બાદ મૃતક યુવાન મેંદરડાના લિલવા ગામનો હોવાનું ખુલ્યું છે. વંથલી પીએસઆઈ બી.કે. ચાવડાએ જણાવ્યું કે, કણજાથી ખોખરડા ફાટક જતા રસ્તે વચ્ચે પાણી ભરેલા વોંકળામાં એક લાશ હોવાની હકીકત મળતા સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. સ્થળ ઉપર કોઈ અજાણ્યા પુરૂષનો મૃતદેહ જે અત્યંત કોહવાયેલી હાલતમાં હોય ઓળખ મળવી મુશ્કેલ હતી. છતાં પીએમ માટે હોસ્પિટલ ખસેડી તપાસ કરતા મૃતક યુવાન મેંદરડાના લિલવા ગામનો સાજીત ઉર્ફે તમાસી શેતા (ઉ.વ.રપ) હોવાનું તેના પરિવારે જાહેર કર્યુ છે. મૃતક યુવાન માનસિક અસ્થિર હતો તે અવાર-નવાર ઘરેથી નીકળી જતો હતો અને પરત આવી જતો હતો. જેથી તેના ગુમ થયાની કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી. હાલ તે સાતેક દિવસથી ઘરેથી નિકળી ગયા બાદ અકસ્માતે ડુબી જતાં મોત થયાનું જણાઈ આવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!