જૂનાગઢનાં વિલીંગ્ડન ડેમમાંથી આધેડની લાશ મળી

0

જૂનાગઢનાં વિલીંગ્ડન ડેમમાંથી આધેડની લાશ મળી આવી હતી જેને ફાયર ટીમે બહાર કાઢી પીએમ માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડી હતી. આ અંગેની ભવનાથ પોલીસે જાણ કરતાં ફાયર ટીમના ડ્રાઈવર મુળુભાઈ બરાઈ, ફાયરમેન મીતુલ મહેતા, રવિ ચુડાસમા અને ઉમેદ સોલંકી વગેરે સત્વરે ઘટનાસ્થળે દોડી ગયા હતા. બાદમાં રેસ્કયુ વાન દ્વારા લાશને બહાર કાઢી, પીએમ માટે સિવીલ હોસ્પીટલ ખાતે મોકલી હતી. ભવનાથ પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ મુકેશ હરસુખભાઈ સિધ્ધપુરા હોવાનું અને જૂનાગઢ શહેરના છાયા બજારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક આધેડ સોના, ચાંદીના કારખાનામાં સર્વિસ કરતા હતા અને સવારે ૧૦ વાગ્યે ઘરેથી નિકળ્યા બાદ તેમની લાશ વિલીંગ્ડન ડેમમાંથી મળી આવી છે. ભવનાથ પોલીસે જણાવ્યું હતું કે મૃત્યુંનું કારણ જાણવા મળેલ નથી. આ અંગેની વધુ તપાસ એએસઆઈ બી. પી. ડાંગર ચલાવી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!