ગુજરાત રાજયના વન વિભાગ દ્વારા ૪પ વનપાલની કરાઈ બદલી

0

ગુજરાત રાજયના વન વિભાગ દ્વારા તાજેતરમાં ૪પ વનપાલની બદલી કરવામાં આવી છે જે અંગેની મળતી વિગત અનુસાર ધારી રેન્જમાં ફરજ બજાવતા દેવરાજભાઈવેલજીભાઈ ગોહીલની ગોંડલ રેન્જમાં બદલી કરવામાં આવી છે જયારે માળીયાહાટીના રેન્જના કે. એન. વીરડાની મેંદરડા રેન્જ, વાંકાનેર રેન્જના એમ. જે. મકવાણાની મહુવા રેન્જ, કુતિયાણા રેન્જનાં એચ.વી. કરમટાની ગડુ શેરબાગ માંગરોળ રેન્જ, ગોંડલ રેન્જમાં ફરજ બજાવતા ટી. જે. વાંદાની ખાગેશ્રી રાઉન્ડ, કુતિયાણા ખાતે, વન્યજીવ રેન્જ પાલીતાણાનાં એસ.આર. ભમ્મરની રાજસ્થળી રાઉન્ડ પાલીતાણા રેન્જ ખાતે, રાજસ્થળી રેન્જ, પાલીતાણાનાં સંજયભાઈ ભાનુભાઈ ભરવાડની મહુવા રેન્જ, વન્ય વિભાગ અને વેરાવળ રાઉન્ડ, પ્રભાસપાટણ રેન્જમાં ફરજ બજાવતા પી.કે. મોરીની માંગરોળ રેન્જ ખાતે તેમજ સિહોર રેન્જ, ભાવનગર વન વિભાગના રામભાઈ ખેતાભાઈ ચાવડાની પાલીતાણા રેન્જ, જૂનાગઢ વન વર્તુળમાં બદલી કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!