જામકંડોરણાની ઉતાવળી નદીમાં કેમિકલવાળું પાણી છોડવામાં આવતા ગ્રામજનોમાં રોષ

0

જામકંડોરણાની ઉતાવળી નદીમાં કેમિકલવાળું પાણી છોડવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. જામકંડોરણામાં કરોડોના ખર્ચે રીવરફ્રન્ટ આવેલ છે. રીવરફ્રન્ટની અંદર જ કોઈ અજાણી વ્યક્તિઓ દ્વારા કેમિકલ પાણી ઠાલવ્યું છે. આ પાણીથી નદીઓમાં રહેતી માછલીઓના મોત થાય છે. આ પહેલા પણ કેમિકલવાળુ પાણી નદીમાં ઠાલવવામાં આવ્યું હતું અને અસંખ્ય માછલીઓ અને પાણીમાં રહેતા જીવોના મોત થયા હતા. અવારનવાર કેમિકલવાળું પાણી ઉતાવળી નદીમાં ઠાલવવામાં આવતું હોવાથી જામકંડોરણાના જીવદયાપ્રેમીઓમાં રોષ જાેવા મળ્યો હતો. તેમજ કેમિકલવાળું પાણી નદીમાં ઠાલવનાર સામે આકરા પગલાં લેવામાં આવે તેવી જીવદયાપ્રેમીઓ દ્વારા માંગણી કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!