ભાવનગર : યુવતિને ભગાડી જનાર યુવક સામે પગલાં લેવા જિલ્લા કલેકટરને બ્રહ્મસેના આવેદન પત્ર આપશે

0

બ્રાહ્મણ યુવતીને લલચાવી ફોસલાવી ભગાડી જનાર મુસ્લીમ યુવક સામે કાર્યવાહી હાથ ધરવા  તા. ર૦-૧-રર૧ ના રોજ ભાવનગર ખાતે બ્રહ્મસેના, દુર્ગાસેના સહિત અનેક બ્રાહ્મણ સંગઠન અને પેટા જ્ઞાતી દ્વારા ભાવનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે. લવજેહાદનો કાનુન સત્વરે બનાવવામા આવે અને તેની અમલવારી ૧ જાન્યુઆરી ૨૦૨૧ થી કરવામાં આવે તેવી માંગણી બ્રહ્મસમાજ દ્વારા કરવામાં આવી છે. બ્રહ્મસેના દ્વારા હિન્દુ સંગઠન અને જ્ઞાતી સંગઠનને પણ આ માટે મદદમાં આવવા અપીલ કરાઈ છે. ભીડભંજન ચોક ખાતે બપોરના ચાર કલાકે સૌ એકત્ર થઈ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવા જશે. સમગ્ર ગુજરાતમાં બ્રાહ્મસમાજ આ ઘટનાને લઈને જલદ આંદોલન કરવાના મુડમા છે. બ્રહ્મસમાજની માંગણી છે કે, સરકાર કડક હાથે કામ લઈ મુસ્લીમ યુવક અને તેને સાથ આપનાર તેમના પરીવારજનોની ધરપકડ કરે તેમજ મુસ્લીમ યુવકને સરકારી નોકરીમાંથી પણ બરખાસ્ત કરવામા આવે. જાે તા. ર૪-૧-ર૦ર૧ સુધીમાં નક્કર પરીણામ નહીં આવે તો ગુજરાતભરનાં હિન્દુ સંગઠનોને સાથે રાખી વિરાટ આંદોલન છેડવાની ચિમકી દુર્ગાસેના અને બ્રહ્મસેના દ્વારા આપવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!