બિલખા પંથકનાં આગેવાનો દ્વારા થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે રકતદાન કેમ્પ યોજાયો

0

બિલખા ખાતે એક ભવ્ય રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ર૦૦ જેટલા દાતાઓએ રકતદાન કર્યુ હતું. હાલમાં કોરોનાકાળને કારણે થેલેસેમીયાગ્રસ્ત બાળકોને લોહી મળવું મુશ્કેલ બની ગયું હોય આવા બાળકોને સરળતાથી લોહી મળી રહે એવા શુભ આશયથી સામાજીક કાર્યકર જયેશભાઈ બોઘરાના માર્ગદર્શન હેઠળ સમગ્ર બીલખા પંથકનાં આગેવાનો દ્વારા મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. તદઉપરાંત આ કેમ્પમાં વિનામૂલ્યે થેલેસેમીયા ટેસ્ટ અને બ્લડ ગૃપ પણ કરવામાં આવેલ. જેનો અંદાજે ૧પ૦ લોકોએ લાભ લીધો હતો. આ રકતદાન કેમ્પને સફળ બનાવવા માટે તમામ સમાજના આગેવાનોએ સખત જહેમત ઉઠાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!