જામકંડોરણા : શ્રી રાજપુત કરણી સેના દ્વારા લવજેહાદ મુદ્દે આવેદનપત્ર અપાયું

0

શ્રી રાજપૂત કરણી સેના ગુજરાતના પ્રદેશ પ્રમુખ જે.પી.જાડેજા અને સૌરાષ્ટ્રના પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજાની સૂચનાથી જામકંડોરણા રાજપુત કરણી સેના દ્વારા ગુજરાત રાજ્યમાં લવ જેહાદ અને ધર્માંતરણની પ્રવૃત્તિ રોકવા તાત્કાલિક અસરકારક કાયદો બનાવવાની માંગ સાથે જામકંડોરણાના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાતમાં તાજેતરમાં લવ જેહાદના તેમજ ધર્માંતરણના કિસ્સાઓમાં મોટો વધારો જાેવા મળી રહ્યો છે. કેટલાક દેશ વિરોધી અને અસામાજિક તત્વો સમાજ માટેની સંવાદિતતા જાેખમાય તેવી જાેખમી પ્રવૃતિઓ આચરી રહ્યા છે. હિન્દૂ ધર્મની માસૂમ બાળાઓને વિધર્મી લોકો ષડયંત્રના ભાગરૂપે લલચાવી ફોસલાવીને ભગાડી રહ્યા છે. ત્યારે આ પ્રકારની પ્રવૃતિઓ ઉપર અંકુશ મુકવા ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ તર્જ ઉપર ગુજરાતમાં પણ લવ જેહાદ અમે ધર્માંતરણના વિષયોને લઈને એક અસરકારક કાયદો તાત્કાલિક બનાવવામાં આવે તેવી શ્રી રાજપુત કરણી સેનાની સ્પષ્ટ માંગ છે. ઉપરોક્ત માંગણીની નોંધ લઈને ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે કાયદાકીય પ્રક્રીયા હાથ ધરે અન્યથા અમારે ગુજરાતમાં જન જન સુધી અમારી સાથે લાગણી પહોંચાડવા આંદોલનાત્મક પગલાં લેવાની ફરજ પડશે. આ તકે શ્રી રાજપુત કરણી સેના જામકંડોરણાના પ્રમુખ હરપાલસિંહ જાડેજા પાદરિયા, ગૌ સેવા સમિતી જા.કં.ના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા પીપરડી, રાજપુત સમાજના ઉપપ્રમુખ સુરેન્દ્રસિંહજી વાળા, અડવાળ સરપંચ ભગીરથસિંહ જાડેજા, કરણી સેના ઉપપ્રમુખ અશોકસિંહ જાડેજા, સરપંચ પરાક્રમસિંહ, ગૌ સેવા સમિતી ટ્રસ્ટી વનરાજસિંહ ચૌહાણ આચવડ, રાજપુત સમાજના યુવા અગ્રણીઓ વિજયસિંહ જાડેજા ચરેલ, ગોવુભા ચાવડા અડવાલ, પ્રતિપાલસિંહ જાડેજા અડવાળ, કીશોરસિંહ વાળા પીપરડી તેમજ કરણી સેના સભ્યોએ હાજરી આપી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!