ગીર સોમનાથ જીલ્લામાં પ્રથમ બે ડોઝ જીલ્લાના આરોગ્ય વિભાગના બે તબીબ અધિકારીઓએ લઇ રાહ ચિંધી

0

દેશભરમાં શનિવારથી શરૂ થયેલ કોરોના વેકસીનેશનના પોગ્રામ અંતર્ગત ગીર સોમનાથ જીલ્લાના બે સેન્ટરો ઉપર વેકસીનેશનનો પ્રારંભ થયો હતો. ગીર સોમનાથ જીલ્લામાં પ્રથમ ડોઝ જીલ્લા ક્ષય વિભાગના વડા ડો. બામરોટીયાએ લઇ રાહ ચિંધી હતી. બંને સેન્ટરો ઉપર ૧૦૦-૧૦૦ કર્મીઓને ડોઝ આપવાનું તંત્રએ આયોજન કર્યુ છે.ગીર સોમનાથ જીલ્લામાં વેરાવળ સીવીલ હોસ્પીટલ ખાતે કોરોના વેકસીનેશનનો પ્રારંભ બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જાેટવા, ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજયપ્રકાશ, જીલ્લા ભાજપ પ્રમુખ માનસીંહ પરમારના હસ્તે કરાયેલ હતો. જયારે ગીર સોમનાથ જીલ્લાના બીજા સેન્ટર ડોળાસા ખાતે પુર્વ રાજયમંત્રી જશાભાઇ બારડ, હરિભાઈ સોલંકી સહિતના આગેવાનોના હસ્તે પ્રારંભ કરાયેલ હતો. આ કાર્યક્રમમાં આગેવાન રાજશીભાઇ જાેટવા, જશાભાઇ બારડ, ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજયપ્રકાશએ ઉદબોધનમાં જણાવેલ કે, કોવિડશિલ્ડ વેકસીન સંપુર્ણ સુરક્ષિત હોવાથી તમામ લોકોએ રસીનો ડોઝ લેવા અપીલ કરી હતી. આ રસીની કોઈ આડઅસર થતી નથી. જેથી કોવિડશિલ્ડ વેકસીનની ફેલાઇ રહેલ અફવાઓથી લોકોએ દુર રહેવુ જાેઇએ. દેશમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે વેકસીનેશના અભિયાનની શરૂઆત થઇ છે. ગીર સોમનાથ જીલ્લામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓની અથાગ મહેનતની કોરોનાનું સંક્રમણ ઓછું રહ્યું છે. ત્યારે કોવિડશિલ્ડ વેકસીને આપણા સૌ જીલ્લાવાસીઓ માટે વરદાનરૂપ છે. જેથી લોકોએ અફવામાં દોહરાયા વગર વેકસીનનો ડોઝ લેવા અપીલ કરી હતી. કોવિડશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લીધા બાદ બીજાે અંતિમ ડોઝ એક માસ બાદ આપવામાં આવશે. પ્રથમ ડોઝ લેનારે બીજાે ડોઝ અવશ્ય લેવાનો રહે છે જેથી શરીરમાં કોરોના પ્રતિરોધક અસર કરશે. વેકસીન લીધા બાદ માસ્ક અને સોશ્યલ અંતર ઉપરાંત સરકાર દ્વારા આપવામાં આવતી કોરોના સંદર્ભે ગાઈડલાઈનનું પાલન કરતા રહેવા અપીલ કરી હતી. વેરાવળ સિવિલ હોસ્પીટલ ખાતે ડો. હિનાબેન ડોડીયાના હસ્તે પ્રથમ ડોઝ ગીર સોમનાથ જીલ્લા ક્ષય અધિકારી ડો. બામરોટીયાને તથા બીજાે ડોઝ જીલ્લા વેકસીનેશનના પ્રોગ્રામ અધિકારી ડો.ગૌસ્વામીને આપવામાં આવ્યા બાદ અન્ય આરોગ્ય કર્મચારીઓને કોવિડશિલ્ડ વેકસીનનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જયારે ડોળાસા કેન્દ્ર ઉપર પ્રથમ ડોઝ સિંધાજ પીએચસીના લેબ ટેકનીશીયન સંજયભાઈ વાળાને આપવામાં આવ્યો હતો. વેકસીનનો પ્રથમ ડોઝ ૦.૫ એમ.એલ. હાથના ખંભાની સ્નાયુમાં આપવામાં આવ્યો હતો. કર્મચારીઓએ વેકસીન લીધા બાદ અડધો કલાક સુધી હોસ્પીટલના નિરિક્ષણ રૂમમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. જ્યાં વેકસીન લીધેલા તમામ કર્મચારીઓને કોઈપણ પ્રકારની આડ અસર થઈ ન હોવાનું જાણવા મળેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!