માણાવદરમાં સગીરવયની બાળાને લલચાવી બળાત્કાર ગુજાર્યાની બે સામે નોંધાઈ ફરીયાદ

0

જૂનાગઢ જીલ્લાનાં માણાવદર ખાતે બહારપરા વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીરવયની બાળાને લગ્નની લાલચ આપી અને બળાત્કાર ગુજારવા અંગે બે સામે ફરીયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર મુળ જાલોન જીલ્લાનાં રેધર તાલુકાનાં કુર્રા ગામનાં એક પરિવાર મજુરી કામે આવેલ હોય અને બહારપર વિસ્તારમાં રહેતો હોય આ પરિવારની સગીરવયની બાળાને આ કામનો આરોપી રાકેશ કલુભાઈ રજક અમખેડા તા.માદોગડ, જી.જાલોન અને હાલ માણાવદર કામદાર સોસાયટી વાળાએ સગીરવયની બાળાને લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે અવાર-નવાર બળાત્કાર કરી તેમજ અન્ય સાથે લગ્ન કરી ફરીયાદીની દિકરી ભોગ બનનારનું આ કામનાં આરોપી સુરજ રહે.અમખેડાવાળા સાથે સેટીંગ કરાવી આપેલ હોય અને આરોપી નં.રનાએ પણ ભોગ બનનારને લગ્નની લાલચ આપી અને ભાગીને લગ્ન કરવાનું જણાવી આરોપી નં.૧નાએ ભોગ બનનાર બાળાને ફરીયાદીના ઘરેથી ભગાડી રસ્તામાં તેની સાથે બળાત્કાર કરી અને બાદમાં આરોપી નં.રનાં હવાલે કરી તેમજ આરોપી નં.ર ના એ પણ બળાત્કાર ગુર્જાયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા માણાવદર પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૩૬૩,૩૬૬, ૩૭૬, પોકસો એકટ સહિતની કલમ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ સર્કલ પોલીસ ઈન્સ્પકેટર ડી.જે.ઝાલા ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!