અયોધ્યા રામ મંદિરના નિર્માણ માટે માંગરોળમાં દાનનો પ્રવાહ વહયો

0

માંગરોળ ખાતે શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર અંતર્ગત શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ કાર્યાલયનું શિવમ કોમ્પ્લેક્ષ ડો. પરમારનાં દવાખાના પાસે, પહેલા માળે આગેવાનો દ્વારા દિપ પ્રાગટય કરી ઉદ્‌ઘાટન કરાયું હતું. આ મહાઅભિયાનની શરૂઆત પ્રદેશ ભાજપ અગ્રણી અને ખારવા સમાજ, માંગરોળનાં આગેવાન વેલજીભાઇ કાનજીભાઈ મસાણી તરફથી રૂા. ૧,૧૧,૧૧૧, ડો. વેજાભાઈ ચાન્ડેરા, ચાન્ડેરા સંંકુલ- લોએજના સ્થાપક તરફથી
રૂા. ૫૫,૫૫૫, શ્રીરામ ધુન મંડળ, બહાર કોટ, શ્રીહરિ કીર્તનાલય તરફથી રૂા. ૧૧,૧૧૧, દેવેન્દ્રભાઈ ભટ્ટ, ચોર્યાસી બ્રહ્મ સમાજ પ્રમુખ- માંગરોળ તરફથી રૂપિયા ૫,૫૫૫ કરાતાં ઉપસ્થિત રામ ભક્તો દ્વારા જય જય શ્રીરામ નાદથી વધાવી લીધા હતા. આ તકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ , ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમિતિ વતી રાશિ અર્પણ કરનારનો આભાર માનવામાં આવ્યો હતો. આ તકે રામ મંદિર નિર્માણ નિધિમાં વધુને વધુ નિધિ સમર્પણ થાય તેવું આહવાન કરાયું હતું. આ અભિયાનની માહિતી કાર્યકર્તા, મિત્રો, પત્રકાર તેમજ મીડિયા મારફતે જન -જન સુધી પહોંચાડવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!