કોમી એકતા સમિતિ, જૂનાગઢ દ્વારા સુખનાથ ચોક ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે

0

કોમી એકતા સમિતિ, જૂનાગઢ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા તેમજ બંધારણના મૂળભુત સંવિધાનિક અધિકારો તેમજ કોમી એકતા રાષ્ટ્રીય, રાષ્ટ્રીય એકતાને મજબુત કરવા જનજાગૃતિ માટે તા. ર૬-૧-ર૦ર૧ના સવારે ૧૦.૧પ કલાકે સુખનાથ ચોક, જૂનાગઢ ખાતે નગરસેવક અસલમભાઈ ઈબ્રાહીમભાઈ કુરેશીના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં લોકોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે. આ પ્રસંગે મુખ્ય મહેમાનપદે મેયર ધીરૂભાઈ ગેહેલ, ધારાસભ્ય ભીખાભાઈ જાેષી, જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, નગરસેવક અબ્બાસભાઈ કુરેશી, શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ઠુંમર ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં લોકોને ઉપસ્થિત રહેવા પૂર્વનગરસેવક વહાબભાઈ કુરેશી, નગરસેવક શરીફાબેન કુરેશી અને તેમની ટીમ દ્વારા અનુરોધ કરાયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!