રાજ્યના ર૯ હજાર જેટલા તબીબોની ૧ ફેબ્રુઆરીથી ભૂખ હડતાળ ઉપર ઉતરવાની ચિમકી

0

આયુર્વેદ તબીબોને સર્જરીની છૂટના વિરોધમાં આગામી પહેલી ફેબ્રુઆરીથી આઈએમએના સભ્યો અને દેશભરના આધુનિક મેડિસિન ડોક્ટરો ભૂખ હડતાળ કરશે. ત્યારે આ ભૂખ હડતાળમાં ગુજરાતના ર૯ હજાર તબીબો ભૂખ હડતાળ ઉપર ઉતરવાના છે ત્યારે આ અંગે ગુજરાત આયુર્વેદ બોર્ડના ચેરમેન ડોક્ટર હસમુખ સોનીએ મોટું નિવેદન કર્યું છે. ડો.હસમુખ સોનીએ જણાવ્યું કે, કેટલાક લોકો દ્વારા ખોટી રીતે વિરોધ કરાઈ રહ્યો છે. તેઓ ભૂખ હડતાળ કરી સરકાર ઉપર દબાણ લાવવાના પ્રયાસો કરે છે. પરંતુ અત્યારે આ પ્રકારે હડતાળ કરી દબાણ ન કરવું જાેઈએ. સુપ્રિમ કોર્ટના ચુકાદાની રાહ જાેવી જાેઈએ. આ ઉપરાંત તેમણે આયુર્વેદ ઉદ્યોગને વેગ આપવા માટે સરકાર બજેટમાં વધારો કરે તેવી માંગ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!