કમળાપુર મુકામેથી પ્રદેશ કોંગ્રેસની જન સંપર્ક યાત્રાનો પ્રારંભ કરાયો

0

કમળાપુર મુકામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જનસંપર્ક યાત્રાની ચોટીલાના ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા તેમજ મનોજભાઈ રાઠોડ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી દ્વારા કરાવેલ હતી. જિલ્લા પંચાયત બેઠક ની કમળાપુર તાલુકા પંચાયત, કોઠી તાલુકા પંચાયત, લીલાપુર તાલુકા પંચાયત, કડુકા તાલુકા પંચાયત બેઠક ઉપર મહાજન સંપર્ક અભિયાન અંતર્ગત કમળાપુર, કોઠી, લીલાપુર, કડુકા ખાતે બેઠક યોજવામાં આવી. આ બેઠકમાં આપણા ઋત્વિકભાઈ મકવાણા, મનોજભાઈ રાઠોડ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી મંત્રી, પૂર્વ ધારાસભ્ય ભોળાભાઇ ગોહિલ, જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અવસરભાઈ નાકિયા, ઓબીસી ડિપાર્ટમેન્ટ રાજકોટ પ્રમુખ ગોપાલભાઈ, જસદણ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શૈલેષભાઈ વઘાસિયા, રણજીતભાઈ ગોહિલ, વલ્લભભાઈ રાજપરા, યુથ કોંગ્રેસ પ્રમુખ વિપુલભાઈ જાપડીયા ભીખાભાઈ, મનસુખ ઝાપડિયા તેમજ ગ્રામ પંચાયતના સભ્યો અને કોઠી, પોલારપર, દેવપરા, પારેવાળા, લીલાપુર કડુકા, મદાવા, કમળાપુર, બરવાળા, દરેક ગામના વડીલો, ખેડૂત મિત્રો તેમજ કોંગ્રેસ કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!