કોમી એકતા સમિતિ, જૂનાગઢ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ સુખનાથ ચોક ખાતે યોજાયો

0

કોમી એકતા સમિતિ, જૂનાગઢ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા તેમજ બંધારણના મૂળભુત સંવિધાનિક અધિકારો તેમજ કોમી એકતા સાથે રાષ્ટ્રીય એકતાને મજબુત કરવા જનજાગૃતિ માટે આજ તા. ર૬-૧-ર૦ર૧ના સવારે ૧૦.૧પ કલાકે સુખનાથ ચોક, જૂનાગઢ ખાતે મહાનગરપાલિકાનાં નગરસેવક અસલમભાઈ ઈબ્રાહીમભાઈ કુરેશીના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાનપદે મેયર ધીરૂભાઈ ગોહેલ, ધારાસભ્ય ભીખાભાઈ જાેષી, જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, નગરસેવક અબ્બાસભાઈ કુરેશી, જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ઠુંમર ઉપસ્થિત રહયા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂર્વનગરસેવક વહાબભાઈ કુરેશી, નગરસેવક શરીફાબેન કુરેશી અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!