બિલખા : સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

0

રણછોડદાસ આશ્રમનાં સહયોગથી બિલખા ખાતે મોચી જ્ઞાતિની વાડી, આંબલી શેરી, બિલખા ખાતે નેત્રયજ્ઞનું આયોજન તા. ૩૦-૧-ર૧ને શનિવારના રોજ સવારે ૯ થી ૧ર દરમ્યાન કરવામાં આવેલ છે. નેત્રયજ્ઞની સાથે એકયુપ્રેસર અને સર્વ રોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ નિદાન કેમ્પમાં ડો. કિશોરભાઈ ગજેરા હોમીયોપેથીક ડીસ્પેન્સરી આબંલીયાનાં મેડીકલ ઓફીસર દ્વારા તપાસ કરી દર્દીને દવા ફ્રી આપવામાં આવશે. આ નિદાન કેમ્પનો જરૂરીયાતમંદ લોકોએ લાભ લેવા કિશોરભાઈ વાઘેલા દ્વારા અનુરોધ કરાયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!