પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા ત્રણ શખ્સોને ઝડપી લીધા

0

જૂનાગઢમા પેરોલ ફર્લો સ્કવોડે વધુ ૩ ફરાર આરોપીને ઝડપી પાડયા છે. જેલમાંથી જમીન મેળવી ફરાર થઈ ગયેલા આરોપીને ઝડપી પાડવા માટે રેન્જ ડીઆઈડી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટીએ સુચના આપી હતી. બાદમાં પેરોલ ફર્લો સ્કવોર્ડનાં પીએસઆઈ આર.એ.બેલીમ અને સ્ટાફના પ્રદિપસિંહ ગોહીલ, રમેશભાઈ માલમ, સંજયભાઈ ખોડભાયાએ ખાસ પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું. દરમ્યાન જાણવા મળ્યું છે. જૂનાગઢ જેલમાંથી વચગાળાના જામીન મેળવી ૭ માસથી ફરાર થયેલા ૩ આરોપી પોતાના ઘરે છે. આ બાતમીના આધારે ડુંગરપુરથી કિશોર જેઠાભાઈ રાઠોડ, રમેશ ભલાભાઈ ડાભી અને ટીંબાવાડી બિલનાથ પરામાંથી દિલીપ દેવશીભાઈ ભરડાને ઝડપી લઈ જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!