મહેરશકિત સેના પોરબંદર દ્વારા બીજી એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ

0

મહેર શકિત સેના દ્વારા પોરબંદર જિલ્લા સહિત મહેર જ્ઞાતિ સમાજ તેમજ જ્ઞાતિ સમાજને પણ આકસ્મિક દવાખાને જવાની નોબત આવે ત્યારે આરોગ્યની સેવા તુરંત જ મળી રહે તેવા શુભ આશયથી દાતાઓના સહકારથી વ્યાજબી દરે દર્દીઓને દવાખાને પહોંચાડવા માટે બીજી એમ્બ્યુલન્સ વાનનું પોરબંદરના રાણાવાવ તાલુકાના નેરાણા સોનલધામ ખાતે પ.પુ. આઈ શ્રીપુતીઆઈના પાવન હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ કુતિયાણા મત વિસ્તારના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા, મહેર શકિત સેનાના વરિષ્ઠ અગ્રણી મહિલા પ્રમુખ આગેવાન હિરલબા ભુરાભાઈ જાડેજા, મહેર સમાજના ભામાશા દાનવીર દાતા અરભમભાઇ ભારાભાઈ કેશવાલા, મહેર અગ્રણી સામતભાઈ ગોગનભાઈ ઓડેદરા, મહેર શિકત સેનાના યુવાન પ્રમુખ કરશનભાઈ ઓડેદરા, મહેર શકિત સેનાના મુખ્ય પ્રવકતા રાણાભાઈ વિરમભાઈ ઓડેદરા, ગોરખનાથ જગ્યાના મહંત ગોપાલદાસ બાપુ, બગદાણાના મહંત મનજીબાપા, છત્રાવા વછરાજ મંદિરના ભુવા આતા રણજીત આતા, ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના ઉપપ્રમુખ, સભ્યો, અરજણભાઈ બાપોદરા, રાણાભાઈ સીડા તથા સમાજના અગ્રણીઓ વડીલો ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!