ઉપલા દાતારની જગ્યાનાં બ્રહ્મલીન મહંત પટેલબાપુની પૂણ્યતિથિની ઉજવણી થશે

0

ઉપલા દાતારબાપુની જગ્યાના બ્રહ્મલીન મહંત શ્રી પટેલબાપુની ૩૧મી પૂણ્યતિથિ ફાગણ સુદ-પ ને તા. ૧૮-૩-ર૦ર૧ ગુરૂવારના રોજ ભાવભેર ઉજવણી કરવાનું અનેરૂં આયોજન જગ્યાના મહંત શ્રી ભીમબાપુની નિશ્રામાં કરવામાં આવ્યું છે. આ પ્રસંગે તા. ૧૮-૩-ર૦ર૧, ગુરૂવારની રાત્રે સુપ્રસિધ્ધ ભજનીક નિરંજનભાઈ પંડયા તેમજ સુપ્રસિધ્ધ ભજનીક દિપક જાેષી દ્વારા પોતાની આગવી શૈલીમાં કલા પિરસશે. આ ઉપરાંત ૧૮-૩-ર૦ર૧, ગુરૂવારે સવારે ૧૦ કલાકે સમાધિસ્થળે પૂજન, બપોરે ૧ કલાકે મહાપ્રસાદ તેમજ રાત્રીના ભજનસંધ્યાનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ભાવિકોને ઉપસ્થિત રહેવા મહંતશ્રી ભીમબાપુ ગરૂશ્રી પટેલબાપુ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!