તા. ૧૮ થી વેરાવળ-અમરેલી ટ્રેન સેવા શરૂ થવાના નિર્દેશો

0

જૂનાગઢ રેલ્વે સ્ટેશનના મેનેજર પ્રફુલભાઈ ભટ્ટનો સંપર્ક સાધતાં જૂનાગઢ ખાતેથી હાલ જે ટ્રેન વ્યવહાર ચાલી રહ્યો છે તેની માહિતી મળી હતી. ખાસ કરીને સોમનાથ એકસપ્રેસ અને જબલપુર તેમજ વેરાવળ-બાંદ્રા ટ્રેન હાલ ચાલી રહી છે જયારે વીકલી દરમ્યાન ત્રિવેન્દ્રમ અને પુના એકસપ્રેસ ટ્રેનો કાર્યરત છે. જયારે આગામી તા. ૧૮ થી વેરાવળ-અમરેલી લોકલ ટ્રેન શરૂ કરવામાં આવનાર છે. બીજીતરફ જનરલ એટલે કે લોકલ ટ્રેન શરૂ કરવાની પણ લોકોની માંગણી છે. અને જાે આ મીટર ગેજ ટ્રેનો શરૂ કરવામાં આવશે તો હાલનાં સંજાેગોમાં મેલનાં મુસાફર ભાડા મુજબ શરૂઆતમાં મુસાફર ભાડુ લેવાશે અને ત્યારબાદ રાબેતા મુજબ ભાડુ વસુલ કરવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!