વેરાવળની જે.કે. રામ કોલેજમાં ૨૦૧૬ પહેલાના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તક

0

વેરાવળમાં આવેલ સ્વ. જે. કે. રામ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ર૦૧૬ પહેલાના વિદ્યાર્થીઓને પરીક્ષાના ફોર્મ ભરવા માટેની છેલ્લી તક હોવાનું જણાવેલ છે. આ અંગે સ્વ. જે. કે. રામ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રમુખ રામસીભાઇ રામે જણાવેલ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા પરીપત્ર બહાર પાડવામાં આવેલ છે જેમાં ર૦૧૬ પહેલા એનરોલ્મેન્ટ થયેલા વિદ્યાર્થીઓને યુ.જી. સેમ ૧ થી ૬ અને પી.જી. ૧ થી ૪ ના પરીક્ષા ફોર્મ ભરવા માટેની છેલ્લી તક આપવામાં આવેલ છે જેમાં એ.ટી.કે.ટી. / નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પરીક્ષા ફોર્મ ભરવાના હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષાના ફોર્મ માટે કોલેજ કાર્યલયનો સપર્ક કરવા જણાવેલ છે. વિદ્યાર્થી ભાઇ-બહેનોએ પોતાની કોલેજનો સંપર્ક કરી તા.રપ માર્ચ સુધીમાં ફોર્મ ભરી જવા અનુરોધ કરેલ છે અને આ અંગેની વધુ માહીતી માટે સ્વ. જે. કે. રામ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિજય રાઠોડ મો. ૯૧૭૩૪ ૧૬૦૦૨ અને રામસીભાઇ રામ મો. ૯૯૧૩૦ ૪૪૪૩૬ નો સંપર્ક કરવા જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!