જૂનાગઢ શહેરમાં મેમણવાડા વિસ્તારમાં થયેલી યુવાનની હત્યા સોપારી આપીને કરવામાં આવી હોવાનો આક્ષેપ : આવેદનપત્ર અપાયું

0

જૂનાગઢ શહેરમાં ગત તા.રર સપ્ટેમ્બરનાં રોજ મેમણવાડા વિસ્તારમાં અરબાઝ આરીફભાઈ ગડર નામનાં યુવાનની હત્યા થઈ હતી. આ બનાવમાં જૂનાગઢ શહેર એ ડીવીઝન પોલીસે આઈપીસી ૩૦ર મુજબ ત્રણ આરોપીઓ સામે હત્યાનું ગુનો નોંધેલ છે.
આ બનાવ અંગે મરણજનાર અરબાઝનાં પિતા આરીફ સુલેમાનભાઈ ગડર અને ફેૈઝન ઈલ્યાસભાઈએ ગુજરાતનાં રાજયપાલને સંબંધોની જીલ્લા પોલીસ વડા મારફત એક આવેદન પત્ર સુપ્રત કરેલ છે. જેમાં આ વિસ્તારનાં કેટલાક ગુંડાતત્વોએ સોપારી આપેને અરબાઝની હત્યા કરાવી હોવાનો આક્ષેપ કર્યો છે. તેમજ ભોગ બનનાર પરિવારને ભૂતકાળમાં પણ માથાભારે તત્વોની દહેશતથી જૂનાગઢ મુકીને ભાગી જવાની ફરજ પડી હોવાનું આવેદનપત્રમાં જણાવેલ છે. આવેદનપત્રમાં હત્યાનાં બનાવમાં સંડોવાયેલ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!