માંગરોળ ખાતે શ્રી ખારવા સમાજ દ્વારા ૧૫મો સમુહ લગ્નોત્સવ યોજાયો

0

આજના આ આધુનિક અને દેખાવ કરવાના યુગમાં સમુહ લગ્ન દ્વારા સાદાઈની સાથે ભવિષ્યના સુંદર આયોજનના સંદેશ સાથે માંગરોળ ખારવા સમાજ દ્વારા ૧૫માં ભવ્ય સમુહ લગ્નનું સુંદર આયોજન તા.૧-૬-૨૦૨૨ના રોજ કરવામાં આવેલ હતું. જેમાં કુલ ૨૩ જાેડીએ પ્રભુતામાં પગલા પાડેલ હતા. માંગરોળ ખારવા સમાજના પટેલ પરસોતમભાઇ ખોરાવાના નેજા તળે ચોરવાડ ખારવા સમાજ પટેલ હરિલાલ સોલંકી, મુંબઈ ખારવા સમાજ પટેલ સચીનભાઈ ભદ્રેસા, ભારત જ્યોતિ એવોર્ડ વિભુષીત અને અનેક સંસ્થાઓ સાથે જાેડાયેલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ વેલજીભાઈ મસાણી, ધનજીભાઇ હોદાર, દામોદરભાઇ ચામુંડીયા, જમનાદાસભાઇ વંદુર, જીતેશભાઈ ખોરાવાની શુભેચ્છાઓ સાથે સમસ્ત ખારવા સમાજ, જી.એફ.-સી.સી.એ.લી.ના તેમજ અનેક નામી-અનામી લોકોના સહકાર તેમજ યુવાનોની જહેમતથી ખુબ જ હર્ષોઉલ્લાસ સાથે આ સમુહ લગ્નોત્સવનું આયોજન થયેલ હતું. આધુનિક યુગને ધ્યાને લઈ શ્રી માંગરોળ ખારવા સમાજ દ્વારા સતત વર્ષ ૨૦૦૦થી આયોજન પહેલા એચઆઈવી અને થેલેસેમિયાના ટેસ્ટ પણ કરાય છે જે ખરેખર અભિનંદનને પાત્ર છે.

error: Content is protected !!