કોડીનારમાં રાજીવ આવાસ યોજના હેઠળ ૪૦૦ આવાસોનો ડ્રો યોજાયો

0

કોડીનારમાં રાજીવ આવાસ યોજના હેઠળ બનાવેલા ૪૦૦ આવાસોના લાભાર્થીઓનો નગરપાલિકા ખાતે ડ્રો યોજવામાં આવ્યો હતો. કોડીનાર નગરપાલિકા દ્વારા સવારે ૧૧ કલાકે રાજીવ આવાસ યોજનામાં બનાવેલા ૪૦૦ આવાસોનો ઓનલાઇન ડ્રો પ્રાદેશિક કમિશ્નર કચેરી ભાવનગર દ્વારા નગરપાલિકાના પ્રમુખ સુભાષભાઈ ડોડીયાના અધ્યક્ષસ્થાને અને ચીફ ઓફીસર સંજયભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ લાભાર્થીઓની રૂબરૂમાં ઓનલાઈન ડ્રો કરવામાં આવ્યો હતો. ડ્રોમાં નામ આવનાર લાભાર્થીઓને પાલિકા સત્તાધીશો દ્વારા ઓર્ડર પત્રની ફાળવણી કરવામાં આવી હતી. આ તકે કોડીનાર નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!