સોમનાથ મંદિરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે આજે ભવ્યાતિભવ્ય કાર્યક્રમ

0

ભારતના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીનો આજે તા.૧૭ સપ્ટેમ્બરે જન્મદિવસ હોય, સોમનાથ મહાદેવ મંદિરે અનેકવિધ કાર્યક્રમો યોજાયા છે.
સવારે ૭ થી ૯ સોમનાથ બીચ ઉપર સ્વચ્છતા અભિયાન જેમાં કોસ્ટગાર્ડ, પોલીસતંત્ર, વહીવટીતંત્ર, સોમનાથ ટ્રસ્ટ શહેરની શાળા-કોલેજાે જાેડાઈ હતી. સવારે ૧૦ કલાકે અધ્યક્ષ નરેન્દ્ર મોદીના પેન્સિલ સ્કેચની પ્રદર્શની, ટુરીસ્ટ ફેસેલીટી સેન્ટર સોમનાથ ખાતે સવારે ૧૦.૩૦ કલાકે મુખ્ય મંદિરમાં મહાપૂજા, આયુષ્ય મંત્ર જાપ, બ્રહ્મભોજન બપોરે ૧ થી ૪ રૂદ્રીપાઠ (૧ર૧) સાંજે સાયં વિશેષ શણગાર અને મંદિર ખાતે દિપમાળાનો કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેનો લોકોએ લાભ લીધો હતો.

error: Content is protected !!