જૂનાગઢમાં રાજગોર મહિલા સંગઠન દ્વારા વેલકમ નવરાત્રી કાર્યક્રમ યોજાયો

0

ક્ષય વિભાગનાં કરારબધ્ધ કર્મચારીઓએ તા. ૧૯થી શરૂ કરેલ તમામ પ્રકારની કામગીરી સ્થગીત સહિતનાં આંદોલન અન્વયે એક અઠવાડીયું વિતી જવા છતાં ઉચ્ચકક્ષાએથી કોઈપણ પ્રકારનાં સકારાત્મક પગલા લેવામાં આવેલ ન હોય જીઆસીએસયુના સંઘ પ્રમુખ હેમાંશુ પંડયાએ આગમી અઠવાડીયાનાં હડતાળનાં કાર્યક્રમોની રૂપરેખા આપતા જણાવ્યું છે કે સોમવારે સવારે ૧૦ થી ૧ર દરમ્યાન ગુજરાતભરનાં કરારી કર્મીઓ પોતાનાં જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે માં અંબેનું સ્થાપન પૂજન કરી નારી શકિત પૂજન સાથે ગરબા કરી પોતાની પડતર માંગો બાબતે માં અંબેને પ્રસન્ન થવા આહવાન કરશે. ત્યારબાદ રકતદાન, ધરણા પ્રદર્શન સહિતનાં અહિંસક કાર્યક્રમો આપશે. આ ઉપરાંત તા. ર-૧૦-રરએ ગાંધી જયંતિ નિમિત્તે મહાત્મા ગાંધીનાં પૂજન સાથે સત્યનાં પ્રયોગોનુ વાંચન અને પ્રતિક ઉપવાસ કરાશે.

error: Content is protected !!