દ્વારકા : બે નવા શંકરાચાર્યની નિયુકતી કરાઈ

0

બ્રહ્મલીન અનંત વિભૂષિત જ્યોતિષપીઠાધીશ્વર અને દ્વારકાશારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજના ઈચ્છાપત્ર મુજબ બ્રહ્મલીન પૂજ્ય મહારાજના બંને દંડી સન્યાસી શિષ્યો દંડી સ્વામી સદાનંદ સરસ્વતીજીને દ્વારકાશારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય અને દંડી સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીને બદ્રીનાથ જ્યોતિષપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય તરીકે તારીખ ૨૬-૯-૨૦૨૨ આસો સુદ એકમ સોમવારના દિવસે દક્ષિણામ્નાય અનંત વિભુષિત શૃંગેરી શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી ભારતીતીર્થજી મહારાજ દ્વારા પશ્ચિમામ્નાય અનંત વિભુષિત દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ તથા ઉત્તરામ્નાય અનંત વિભુષિત બદ્રીનાથ જયોતિષપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ બંનેની શંકરાચાર્ય તરીકે નિયુક્તિ કરવામાં આવી તથા બંને પીઠના શંકરાચાર્ય તરીકે બંનેનું અભિષેક પુજન કરવામાં આવ્યું હતું અને શંકરાચાર્ય તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા.

error: Content is protected !!