સિંધુ જળ સમજુતી મુદ્દે ભારતે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી અદાલતનો ચુકાદો ફગાવ્યો

સિંધુ જળ સમજુતી મુદ્દે ભારતે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી અદાલતનો ચુકાદો ફગાવ્યો

(એજન્સી)     નવી દિલ્હી તા.૦૩
જમ્મુ કાશ્મીરમાં કિશનગંગા અને રતલે હાઈડ્રો પાવર પ્રોજેક્ટ મુદ્દે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી ન્યાયાલયના ચુકાદાને ભારતે ફગાવ્યો છે. વિદેશ મંત્રાલયે આ મામલે કહ્યું છે કે સિંધુ જળ સંધિ સ્થગિત થઈ ગઈ છે. એવામાં ભારત આ સંધિ હેઠળ કોઈ પણ જવાબદારી નિભાવવા માટે બંધાયેલું નથી. 
વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે, આ કોર્ટ જ ગેરકાયદે છે. કાયદાની નજરે આ કોર્ટનું કોઈ અસ્તિત્વ નથી. એક સંપ્રભુ રાષ્ટ્ર ભારતની કોઈ પણ કાર્યવાહીની તપાસ કરવાનો આ કોર્ટને કોઈ અધિકાર જ નથી. ભારતે ક્યારેય આ તથાકથિત ઈન્ટરનેશલ કોર્ટ ઓફ આબિર્ટ્રેશનને માન્યતા 
આપી નથી. 
આ મંચ દ્વારા કરાયેલી કોઈ પણ કાર્યવાહી, ર્નિણય કે આદેશ ગેરકાયદે અને અમે અમે તેને કોઈ માન્યતા આપતા નથી. વૈશ્વિક આતંકવાદના રૂપમાં ભૂમિકાથી બચવા માટે પાકિસ્તાનના ઈશારે આ નાટક ચાલી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય મંચો પર હેરફેર કરવાની પાકિસ્તાનની દાયકાઓ જૂની ટેવ રહી છે.  નોંધનીય છે કે નેધરલેન્ડ સ્થિત આ કોર્ટે ભારતને કહ્યું હતું કે ૯ ફેબ્રુઆરી સુધીમાં કિશનગંગા અને રતલે હાઈડ્રો પાવર પ્રોજેક્ટની ઓપરેશનલ લોગબુક જમા કરાવો.