મેળામાં પ્રવેશતા પહેલા આ સ્થળે વાહનો પાર્ક કરવા પડશે

મહાશિવરાત્રીના મેળામાં આ વખતે ભરડાવાવથી આગળ ખાનગી વાહનોને જવા દેવામાં નહીં આવે. ત્યારે બહારથી આવતા તેમજ જેમને આ વિશે ખબર નથી એવા ભાવિકોના વાહનોને જમાલવાડીની ખુલ્લી કરેલી જગ્યામાં ગ્રાઉન્ડ બનાવીને પાર્ક કરાવવામાં આવશે. જોકે તે પેઈડ પાર્કિંગ હશે કે ફ્રી તેનો ખુલાસો હજુ થયો નથી.