કેનેડાના આલ્બર્ટા પ્રાંતમાં ગુરૂદ્વારામાં પ્રાર્થના દરમ્યાન હુમલો : બે ઘાયલ

કેનેડાના આલ્બર્ટા પ્રાંતમાં ગુરૂદ્વારામાં પ્રાર્થના દરમ્યાન હુમલો : બે ઘાયલ

(એજન્સી)          ઓટાવા તા.૨૨:
કેનેડાના આલ્બર્ટા પ્રાંતમાં ગુરુદ્વારામાં એક વ્યક્તિએ બે લોકોને છરીથી ઘા કર્યા હતા. પોલીસ અને સમુદાયના પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર, લગ્ન સમારોહ પહેલા સવારે અરદાસ (પ્રાર્થના) ચાલી રહી હતી. એડમોન્ટનના ઉત્તરપૂર્વીય બહારના ભાગમાં સ્થિત નાનકસર ગુરુશિખ મંદિર ગુરુદ્વારામાં સવારે લગભગ ૫ વાગ્યે હુમલો થયો હતો. હુમલાને કારણે સમગ્ર ગુરુદ્વારા સંકુલમાં અંધાધૂંધી મચી ગઈ હતી.
એડમોન્ટન પોલીસ સવિર્સે જણાવ્યું હતું કે ૧૪મી સ્ટ્રીટ અને હોર્સહિલ રોડ નજીક બનેલી ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તે વ્યક્તિની ધરપકડ કરી હતી. તબીબી સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બંને ઘાયલોની સારવાર કરી હતી. તેમણે કહ્યું કે તેમને ગંભીર ઈજાઓ થઈ છે. બંને હાલમાં સારવાર હેઠળ છે. પોલીસ હજુ સુધી હુમલાનો હેતુ નક્કી કરી શકી નથી. પોલીસે વ્યક્તિગત ઈજાનો આરોપ લગાવીને કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.