જર્મનીમાં રાહુલ ગાંધીએ કહ્યું RSS માટે સત્ય નહીં શક્તિ જરૂરી

જર્મનીમાં રાહુલ ગાંધીએ કહ્યું RSS માટે સત્ય નહીં શક્તિ જરૂરી

(એજન્સી)     નવી દિલ્હી તા.૨૦
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીના પાટનગર બલિર્નમાં કહ્યું કે ઇજીજી પ્રમુખ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે સત્યનું કોઈ મહત્વ નથી, શક્તિ મહત્વપૂર્ણ છે. આ જ તેમના અને અમારા વચ્ચે તફાવત છે.
તેમણે કહ્યું કે આપણી આખી સંસ્કૃતિ સત્ય પર આધારિત છે. તમે કોઈપણ ધર્મને જોઈ લો, મૂળભૂત રીતે તેઓ એમ જ કહે છે કે સત્યનું પાલન કરો. કોંગ્રેસ, મહાત્મા ગાંધી અને આપ સૌ, આપણે ભારતના સત્યનું રક્ષણ કરીએ છીએ. ઇજીજી આવું નથી કરતી.
હાલમાં રાહુલ ગાંધી ૫ાંચ દિવસના જર્મની પ્રવાસે છે. આજે તેમણે ઓવરસીઝ ઇન્ડિયન કોંગ્રેસના કાર્યક્રમ કનેક્ટિંગ કલ્ચર્સમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યુ. આ ઉપરાંત તેમણે જર્મન થિંક-ટેન્કમાં સામેલ નેતાઓ સાથે વાતચીત કરી અને હર્ટી સ્કૂલમાં પણ સ્પીચ આપી. રાહુલ ગાંધીએ ઝડપથી બદલાતા વૈશ્વિક માહોલ વચ્ચે ભારતની દિશા પર પોતાની વાત રજૂ કરી હતી.