વિરાટ કોહલી-રોહિત શર્મા ૨૦૨૭ વર્લ્ડ કપમાં રમશે: ODI કેપ્ટન શુભમન ગિલનું નિવેદન

શુભમન ગિલે ક્રિકેટ સ્પષ્ટ કર્યું કે રોહિત શર્મા અને વિરાટ કોહલી ODI ક્રિકેટમાં ભારતની યોજનાઓનો ભાગ રહેશે

વિરાટ કોહલી-રોહિત શર્મા ૨૦૨૭ વર્લ્ડ કપમાં રમશે: ODI કેપ્ટન શુભમન ગિલનું નિવેદન
X

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૧
વિરાટ કોહલી અને રોહિત શર્મા ૨૦૨૭ વર્લ્ડ કપમાં રમશે કે નહીં તે અંગે ભારતના નવા ODI કેપ્ટન શુભમન ગિલે પોતાનું નિવેદન આપ્યું છે. શુભમન ગિલે સ્પષ્ટ કર્યું છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા ૨૦૨૭ વર્લ્ડ કપમાં રમશે. શુભમન ગિલનું નિવેદન સાંભળીને લાખો ભારતીય ક્રિકેટ ચાહકોમાં ખુશીની લહેર ફેલાઈ જશે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટ પહેલા શુભમન ગિલે ૨૦૨૭ વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની યોજનાઓની ચર્ચા કરી. શુભમન ગિલે રોહિત શર્મા અને વિરાટ કોહલી ૨૦૨૭ના વર્લ્ડ કપમાં રમશે કે કેમ તે પ્રશ્નનો પણ જવાબ આપ્યો. ટીમ ઇન્ડિયાના ODI અને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલે ક્રિકેટ ચાહકોને ખાતરી આપી છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી ૨૦૨૭ના ODI વર્લ્ડ કપની રેસમાં છે.
શુભમન ગિલે ક્રિકેટ સ્પષ્ટ કર્યું કે રોહિત શર્મા અને વિરાટ કોહલી ODI ક્રિકેટમાં ભારતની યોજનાઓનો ભાગ રહેશે. વધુમાં આ બંને દિગ્ગજ ૨૦૨૭ ODI વર્લ્ડ કપની રેસમાં છે. 
શુભમન ગિલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "ખૂબ ઓછા ખેલાડીઓ પાસે રોહિત અને વિરાટ જેવો અનુભવ અને પ્રતિભા છે. ખૂબ ઓછા ખેલાડીઓએ ભારત માટે આટલી બધી મેચ જીતી છે. મને લાગે છે કે દુનિયામાં ખૂબ ઓછા ખેલાડીઓ પાસે આ પ્રકારની પ્રતિભા, ગુણવત્તા અને અનુભવ છે. તેઓ ૨૦૨૭ ODI વર્લ્ડ કપની રેસમાં છે."
શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે. દરમિયાન રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી ભારતીય બેટ્સમેન હવે શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ રમશે. શુભમન ગિલે જણાવ્યું કે તે રોહિત શર્માની જેમ ડ્રેસિંગ રૂમમાં શાંત માહોલ જાળવવાનો પ્રયાસ કરશે. 
વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટેસ્ટ અને ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે અને હવે તેઓ ફક્ત વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જ રમે છે. 
આજકાલ વન-ડે આંતરરાષ્ટ્રીય મેચોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમની હાજરી જાળવી રાખવી એ વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે એક મહત્વપૂર્ણ પડકાર છે.