અજમેર દરગાહ મુળ શિવ મંદિર હોવાનો દાવો કરતી અરજી અજમેરની કોર્ટમાં દાખલ

અજમેર દરગાહ મુળ શિવ મંદિર હોવાનો દાવો કરતી અરજી અજમેરની કોર્ટમાં દાખલ

(એજન્સી)         જયપુર,તા.૧૩:
રાજસ્થાનમાં એક જિલ્લા કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં અજમેર દરગાહ મૂળરૂપે ‘શિવ મંદિર‘ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તે સાથે જ આ સ્થળનો સર્વે કરવાની પણ માંગ કરવામાં આવી છે.
આ અરજી અજમેરની એક કોર્ટમાં જમણેરી જૂથ મહારાણા પ્રતાપ સેનાના રાષ્ટ્રીય પ્રમુખ રાજવર્ધન સિહ પરમાર દ્વારા દાખલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અજમેર દરગાહ એક શિવ મંદિર હતું અને પછીથી તેને દરગાહ બનાવી દેવામાં આવ્યું હતું. હું લાંબા સમયથી આ મુદ્દા માટે લડી રહ્યો છું. પહેલા રાષ્ટ્રપતિને એક અરજી સોંપવામાં આવી હતી. જેને રાજસ્થાનના મુખ્ય સચિવને મોકલી દેવામાં આવી છે.
તેમણે વધુમાં કહ્યું કે અરજીમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ(એએસઆઇ) દ્વારા સર્વેક્ષણની પણ માંગ કરવામાં આવી છે. વરિષ્ઠ વકીલ એ પી સિહે જણાવ્યું કે અરજી અજમેરના જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો કે આ જગ્યાએ ભગવાન શિવને સમપિર્ત એક મંદિર હતું અને તે પ્રાચીન કાળનું છે.