આજથી રેલવે રિઝર્વેશનના નિયમો બદલાયા આધાર લિન્ક વિના બુકિંગ નહીં થઇ શકે

આજથી રેલવે રિઝર્વેશનના નિયમો બદલાયા  આધાર લિન્ક વિના બુકિંગ નહીં થઇ શકે

(એજન્સી)   નવી દિલ્હી, તા.૩૦
એજન્ટો દ્વારા રેલ્વે ટીકીટોના ધડાધડ બુકિંગને રોકવા માટે રેલ્વે દ્વારા નવા-નવા નિયમો ઘડવામાં આવી જ રહ્યા છે. આઇઆરસીટીસી આઇડીને આધાર સાથે લીંક કરવાનો નિયમ દાખલ કર્યો જ છે અને તેના વિના બુકિંગ નહીં થઇ શકે. ત્રણ તબકકામાં લાગૂ થનારા નિયમનો પ્રથમ તબકકો લાગૂ થઇ ગયો છે. આધાર લીક ન હોય તો પ્રથમ દિવસે જનરલ ક્વોટામાં ટીકીટ બુકિંગ નહીં થઇ શકે.
પ્રવાસીઓ માટે એડવાન્સ રિઝર્વેશન બુકિંગ ૬૦ને બદલે ૫૯ દિવસ અગાઉ શરૂ થશે. ૨૯મી ડિસેમ્બરથી જ આધાર સાથે લિંક ન હોય તેવા IRCTC યાત્રીઓ સવારના ૮ વાગ્યાથી લઈ બપોરના ૧૨ વાગ્યા સુધી તેમની ટિકિટને બુક કરાવી શકશે નહીં. આ નવો નિયમ માત્ર રિઝર્વ રેલવે બુકિંગ ખુલે તેના પ્રથમ દિવસે લાગુ થશે. ભારતીય રેલવે દ્વારા આ નિયમોને ત્રણ તબક્કામાં લાગૂ કરવાનો ર્નિણય કર્યો છે. તેનો પ્રથમ તબક્કો ૨૯મી ડિસેમ્બર એટલે કે આજથી આધાર વગર સવારના ૮ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધી રેલવે ટિકિટનું બૂકિંગ નહીં થાય.