રિયલ એસ્ટેટ ક્ષેત્રે છેતરપિંડી રોકવા માટે ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરાશે
નવી દિલ્હી, તા.5
સરકાર ટૂંક સમયમાં એક ડિજિટલ ડેટાબેઝ શરુ કરવા જઈ રહી છે, જેમાં ભારતના તમામ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ વિશે માહિતી હશે. આ પગલું ઘર ખરીદનારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. કારણ કે, આની મદદથી છેતરપિંડીથી બચવા અને યોગ્ય પ્રોજેક્ટને પસંદ કરવામાં મદદ મળશે. આ ડેટાબેઝમાં પ્રોજેક્ટની તમામ જરૂરી જાણકારી જેમ કે, અપ્રૂવલ, કન્સ્ટ્રક્શનની પ્રગતિ અને બિલ્ડરોની વિશ્વસનીયતા જેવી વિગતો સામેલ હશે.
આ પોર્ટલ દ્વારા, લોકો હવે દેશભરના કોઈપણ બિલ્ડરના પ્રોજેક્ટ અને તેની વર્તમાન સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી સરળતાથી મેળવી શકશે. આ પગલું ખાસ કરીને એવા ઘર ખરીદદારો માટે મોટી રાહત છે જેઓ ઇઈઇછ કાયદાના અસ્તિત્વ છતાં પ્રોજેક્ટમાં વિલંબ અને છેતરપિંડીનો ભોગ બન્યા છે. ઘર ખરીદનારાઓની ફરિયાદો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઇઈઇછ અને રાજ્ય અધિકારીઓને ઠપકો આપ્યો હતો. જાેકે, તેના થોડા અઠવાડિયા પછી જ આ ર્નિણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાને બિલ્ડરોની મનમાની અને ગ્રાહકોની ફરિયાદોના યોગ્ય નિરાકરણના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યાર બાદ, આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટરે ઇઈઇછ સેન્ટ્રલ એડવાઇઝરી કાઉન્સિલ(ઝ્રછઝ્ર)ની બેઠકમાં આ નવું પોર્ટલ લોન્ચ કર્યું. આ ડેટાબેઝનો મુખ્ય હેતુ સંભવિત ખરીદદારોને સંપૂર્ણ માહિતી પૂરી પાડવાનો છે, જેથી તેઓ સમજી-વિચારીને ર્નિણય લઈ શકે.


