લદ્દાખ હિંસા મામલે કેન્દ્ર સરકારે સોનમ વાંગચુકને જવાબદાર ઠેરવ્યા

લદ્દાખ હિંસા મામલે કેન્દ્ર સરકારે સોનમ વાંગચુકને જવાબદાર ઠેરવ્યા
NDTV

(એજન્સી)                લેહ તા.રપ
ગઈકાલે  લદ્દાખમાં થયેલી હિંસા માટે કેન્દ્ર સરકારે સોશ્યલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને જવાબદાર ઠેરવ્યા હતા. ગૃહ મંત્રાલયે મોડી રાત્રે એક નિવેદનમાં કહ્યું હતું કે, "વાંગચુકે ભડકાઉ નિવેદનો આપીને લોકોને ઉશ્કેર્યા, હિંસા વચ્ચે પોતાનો ઉપવાસ સમેટ્યા, પરંતુ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવાને બદલે, એમ્બ્યુલન્સમાં પોતાના ગામ જવા રવાના થઈ ગયા હતા." મંત્રાલયે કહ્યું, ‘ઘણા નેતાઓએ વાંગચુકને હડતાળ સમેટવા અપીલ કરી હતી, પરંતુ તેમણે હડતાળ ચાલુ રાખી. તેમણે આરબ સ્પ્રિંગ શૈલી અને નેપાળમાં જેન-જી વિરોધ પ્રદર્શનનો ઉલ્લેખ કરીને લોકોને ગેરમાર્ગે દોર્યા.‘ વાંગચુકે ૧૦ સપ્ટેમ્બરના રોજ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે ભૂખ હડતાળ શરૂ કરી હતી. બુધવારે, લેહમાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહેવાસીઓએ કેન્દ્ર સરકાર દ્વારા તેમની અગાઉની માંગણીઓ પૂર્ણ નહીં કરવાના વિરોધમાં બંધનું આહ્વાન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ ભાજપ કાર્યાલય અને ઝ્રઇઁહ્લ વાહનને આગ ચાંપી દીધી હતી. વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ, જેમાં ચાર લોકોના મોત થયા અને ૮૦થી વધુ લોકો ઘાયલ થયા.