યાત્રાધામ વીરપુરમાં સરદાર સન્માન યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

યાત્રાધામ વીરપુરમાં સરદાર સન્માન યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
વીરપુર:-તા.૧૮
સરદાર પટેલ યુવા ગ્રુપ દ્વારા ચામુંડા ચોક ખાતે જય સરદાર ના નારા સાથે ભવ્ય સ્વાગત કર્યું. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીને અનુલક્ષીને બારડોલીથી સોમનાથ સુધીની સરદાર સન્માન યાત્રા આજે યાત્રાધામ વીરપુર પહોંચી હતી. વીરપુરના ચામુંડા ચોક ખાતે સરદાર પટેલ યુવા ગ્રુપ દ્વારા આ સરદાર સન્માન યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું,આ યાત્રા વીરપુરના મુખ્ય રાજ માર્ગો પર ફરીને કાગવડ ખોડલધામ તરફ રવાના થઈ હતી ત્યારે રસ્તામાં કાગવડ ગામ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરી ગોપાલભાઈ વસતાપરાનું સન્માન કરવામાં આવ્યું હતું, આ સરદાર યાત્રા દરમિયાન લોકોએ "જય સરદાર" ના નારા લગાવ્યા હતા.
તસવીર:- કીશનસિંહ મોરબીયા- વીરપુર