એઆઈને કારણે ભારતમાં ૧ર ટકા લોકોની નોકરીઓ પર જાેખમ

એઆઈને કારણે ભારતમાં ૧ર ટકા લોકોની નોકરીઓ પર જાેખમ

(એજન્સી)      નવી દિલ્હી તા.૩૦
વિશ્વની અગ્રગણ્ય ફાયનાન્શિયલ કંપની ગોલ્ડમેન સેક્સના નવા અહેવાલ મુજબ, જનરેટિવ આટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સ (Gen-AI) ભારતમાં લોકોની કાર્યપદ્ધતિને સંપૂર્ણપણે બદલી નાખશે. અહેવાલમાં જણાવાયું છે કે AI ટેકનોલોજી કૃષિ ક્ષેત્રને બાદ કરતાં ૮ થી ૧૨ ટકા લોકોની નોકરીઓને અસર કરી શકે છે. જોકે, સકારાત્મક પાસું એ છે કે આનાથી મોટાપાયે બેરોજગારી નહીં આવે; તેના બદલે, ટેકનોલોજી ૪૨ થી ૪૮ ટકા કર્મચારીઓને તેમના કાર્યો સરળ બનાવીને મદદ કરશે. અહેવાલ મુજબ, AI ના આવવાથી લોકોની નોકરીઓ નહીં જાય; પરંતુ નોકરીઓનું સ્વરૂપ બદલાઈ જશે.