મહાશિવરાત્રીના મેળામાં પ્રસિદ્ધ ગાયિકા મૈથિલી ઠાકુરે શિવ ભક્તિમય પ્રસ્તુતિઓ રજૂ કરી : ભાવિકો- શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા

જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પણ આગવી શૈલીમાં લોકસાહિત્યની વાતો રજૂ કરી શ્રોતાઓને ભક્તિમય કર્યા.

મહાશિવરાત્રીના મેળામાં પ્રસિદ્ધ ગાયિકા મૈથિલી ઠાકુરે શિવ ભક્તિમય પ્રસ્તુતિઓ રજૂ કરી : ભાવિકો- શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા

જૂનાગઢ તા.12

મહાશિવરાત્રીના મેળાના પ્રથમ દિવસે પ્રસિદ્ધ ગાયિકા મૈથિલી ઠાકોરે શિવ ભક્તિમય પ્રસ્તુતિઓ આપીને ભાવિકો- શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

ભવનાથ ગિરીતળેટીમાં મૈથિલી ઠાકુરે ભક્તિસભર માહોલમાં શિવ આરાધના સહિતના ભક્તિમય ગીતો - ભજનોની પ્રસ્તુતિ આપી હતી, આ ઉપરાંત લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પણ પોતાની આગવી શૈલીમાં લોકસાહિત્યની વાતો રજૂ કરી હતી.