ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજજાે આપવાની માંગણી સાથે જૂનાગઢમાં ગૌસન્માન આહવાન અભિયાન અંતર્ગત વિશાળ રેલી : આવેદનપત્ર અપાયું

ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજજાે આપવાની માંગણી સાથે જૂનાગઢમાં ગૌસન્માન આહવાન અભિયાન અંતર્ગત વિશાળ રેલી : આવેદનપત્ર અપાયું
જૂનાગઢ તા.27
જૂનાગઢ શહેરમાં આજે ગૌસન્માન આહવાન અભિયાન અંતર્ગત એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. સરદારબાગ ખાતે આવેલ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સર્કલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સવારે 8 થી 9.30 દરમ્યાન સંકિર્તન કરવામાં આવેલ તેમજ 9.30 થી 10 દરમ્યાન ગૌપૂજન આરતી કરવામાં આવી હતી. તેમજ રેલી સ્વરૂપે સંતો તેમજ ગૌભકતોની ઉપસ્થિતિમાં આ રેલી કલેકટર કચેરી ખાતે પહોંચી હતી. જયાં વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું. ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજજાે મળે તે માટેની પાંચ લાખથી વધારે સહીઓ સાથેનાં પત્ર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.