જૂનાગઢના જલારામભકિતધામ ખાતે સમૂહ જનોઈ બદલવાનો અલૌકિક અવસર સંપન્ન થયો
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૯
જૂનાગઢના ઝાંઝરડા રોડ સ્થિત જલારામ મંદિરમાં શ્રાવણી પૂનમ, બળેવ રક્ષાબંધન તા.૨૮-૮ના રોજ દર વર્ષની માફક આ વર્ષે પણ સમૂહમાં જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો. ખુબ જ મોટી સંખ્યામાં રઘુવંશી જનોઈધારી ભાઈઓએ આ સુંદર પ્રસંગનો લ્હાવો લીધો હતો. લોહાણાના સારશ્વત ગોર, વિદ્વાન શાસ્ત્રી આનંદભાઈ પેરાણીએ વેદના મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નૂતન જનોઈ ધારણ કરવાનો સૌને લ્હાવો લેવડાવ્યો. આ પ્રસંગે ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીઓ ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા અને ઉપપ્રમુખ ગિરિશભાઈ આડતિયા પણ ઉપસ્થિત રહયા હતાં.


